suvichar

સુવિચાર :- "હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.

સુવિચાર

કીડી 

૧,કીડી પૃથ્વી ઉપરનું ખૂબજ પુરાતન કિટક છે. ડાયનાસૉરના કાળામાં પણ પૃથ્વી પર કીડીઓ હતી.
૨,કીડીની હજાર કરતાંય વધુ જાત જોવા મળે છે.
૩,કીડીને ગરમ વાતાવરણ અનુકૂળ આવે છે.
૪,કીડીઓ વસાહત બનાવીને રહે છે. એક વસાહતમાં લાખો કીડી રહે છે.
૫,કીડીઓની વસાહતમાં એક રાણી કીડી અને બીજી ખોરાક શોધી લાવનાર મજુર કીડીઓ હોય છે.
૬,રાણી કીડી માત્ર ઈંડા મુકવાનું કામ કરેછે.
૭,કીડીઓ પોતાના રસ્તા પર ખાસ પ્રકારની ગંધ છોડતી જાયછે,તેથી અન્ય કીડીઓ એ ગંધથી રસ્તો શોધે છે.
૮, આર્મિએન્ટ નામની કીડી અંધ હોયછે, તેનો ડ્ંખ ઝેરી હોયછે.
૯,કીડી ખૂબજ શીસ્તબધ્ધ હોય છે, ખોરાક એકઠી કરતી વખતે કીડી તે ખોરાક ખાતી નથી

માં અને બાપ

*મા એ ઘરનું ઢાંકણ છે…બાપ ઘરનું અસ્તિત્વ છે.
*મા પાસે આસું નો દરિયો છે.. બાપ પાસે સય્ંમનો ઘાટ છે.
*મા રડીને હૈયું હળવું કરે છે. બાપ સાંત્વાન આપીને ‘હાશ’નો અનુભવે છે.
*કોઈ વાર દાઝી જવાય કે ઠેસ વાગે ત્યારે ..’ઓહ! મા શબ્દો મ્હોમાંથી નીકળી જાય છે.પણ કોઈ મોટા અક્સ્માત થતાં ..’ઓહ બાપરે’ બોલાઈ જલાય છે.
*પ્રેમથી રોજ જમાડાનારી ‘મા’ આપણાને યાદ રહે છે.પણ આયુષ્યના ભાથાની સગવડ કરી આપનાર બાપ ને બહુ યાદ નથી કરતાં.
*કુટુંબમાં કોઈનું મૃત્યું થાય તો ‘મા’તુરત રડી પડે છે,પણ પ્રસંગે -દુઃખ થવા છતાંય બાપ રડતો નથી કારણકે ..ઘરના સૌને આ કરૂણ પ્રસંગે બાપેજ હિં મત આપવાની છે.
* પરીક્ષામાં પાસ થતાં દીકરાને જોઈ મા હરખખેલી થઈ નાચી ઉઠે છે, જ્યારે બાપ ખુશાલીમાં બજારમાં જઈ મીઠાઈ લઈ આવે છે ને આનંદની લ્હાણી કરે છે.
*મા દીકરી-દીકરાના ડ્રેસ માટે ખર્ચ કરતા ખચકાતી નથી પણ્. બાપાના ફાટેલા ગંજી લેઘા માટે પૈસા વાપરતી નથી.
*મા અને બાપ દરેક કુટુંબના અગત્યના સભ્યો છે. એમની હયાતી હોય ત્યારે ઘણાં એમને ભૂલી જાય છે પણ ‘ગેરહાજરી’ હોય ત્યારે ઘણીવાર આંસુ સારતા હોય છે..તસ્તીર બનાવે.. યાદમાં કોઈ ઈમારત..મર્યા પછીની “પોક” શા કામની!!

પ્રાણી જગત

 *ખૂંધવાળા ઊટની કરોડરજ્જુ સાવ સીધી હોય છે.
*કેટલફીશ નામની માછલીને ત્રણ હૃદય હોય છે.
* કસારીના કાન તેના પાછલા પગના ઘૂટણામાં હોય છે.
*વિશ્વનું સૌથી વધુ ઝેરી પ્રાણી પોઈઝન એરો ફ્રોગ નામના દેડકા છે.
*ઓકટોપસની આંખની કીકી ચોરસ હોય છે.
*હમીંગ બર્ડની પાંખ સેકંડમાં ૯૦ વખત ફરકે છે.
*નાનકડું હમીંગ બર્ડ વટાણાના દાણા જેવડાં ઈંડા મૂકે છે.
*શિકાર કરવા માટે સિંહ કલાકના ૮૦ કિલોમીટરની ઝડપે દોડે છે.

 શાર્ક માછલી

 દરિયાઈ પ્રાણીઓમાં શાર્ક એ સૌથી ભયંકર માછલી છે શાર્ક માછલી કદમાં પણા મોટી છે. જો કે શાર્ક અનેક જાતની જોવા મળે છે, બાસ્કીંગ શાર્ક તેના વિકરાળ જડબાને કારણ જૂદી તરી આવે છે. ભૂરા રંગની બાસ્કીગ ૬થી ૮ મીટર લાંબી હોય છે. પેસીફીક અને એટલાન્ટીક સમુદ્રમાં તે જોવા મળે છે. પાણીની સપાટી ઉપર રેહવાનું એ વધારે પસંદ કરે છે. ધીમી ગતીએ તરે છે. ૧૦૦ દાંતનું વિકરાળ જડબું એ અની વિશેષતા છે. તે કલાકના લાખો લીટર પાણી પીએ છે અને ચૂઈ વાટે બહાર કાઢે છે. આ ચૂઈમાં ૫૦૦૦ જેટલી જીભ છે.તે હંમેશા બે કે ત્રણાના સમૂહમાં સાથે રહે છે તેમનાં બચ્ચાંનું કદ પણ બે મીટર લાબું હોયછે.

પ્રાણીઓ વિષે

**ઓસ્ટ્રેલીયામાં માણસો કરતાં કાંગારૂની સંખ્યા વધારે છે.
**જિરાફએ વિશ્વનું ઉચામાં ઉચું પ્રાણી ગણાય છે.
**જિરાફને ૨૧ ઈચ લાંબી જીભ હોય છે.
**પોતાની જીભ વડે એ કાન સાફ કરે છે.
**શેડો બર્ડ નામનું પંખી ત્રણા માળાનો માળો બાંધે છે.
**પહેલો માળ બચ્ચા માટે, બીજો માળ ખોરાક માટે, ત્રીજો માળ નર માદા ચોકી કરે.
**હાથી ત્રણા માઈલ દૂરથી પાણીની ગંધ પારખી શકે છે.

ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી ? તો તમે કંઇ ખાધુ જ નથી!

અમદાવાદ:
લકીના મસ્કાબન , સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા , છત્રભૂજની સેન્ડવીચ , જશુબેનના પિઝા , વિજય અને જયભવાનીના વડાપાંવ , કર્ણાવતીની દાબેલી , મણીનગરના માસીની પાણીપૂરી , ગીતાની સમોસા-કચોરી , શંભૂની કોફી , દાસના ખમણ-સેવખમણી , લક્ષ્મીના ગાંઠિયા , આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી , જવેરવાડની પાણીપૂરી , મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ , વિદ્યાપીઠ પાસેના થેપલા , ગુજરાતના દાળવડા , ફરકીના ફાલૂદા , પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પ?પડી , વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન , યુનિવર્સિટીના ઢોસા , બાપુનગરના ગોંડલના ગાઠિયા , દિનેશના ભજિયા , સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ , જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ , રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ , શંકરનો આઇસ્ક્રીમ , મણિનગરના ટામેટાના ભજિયા , વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી , વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ , કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક , મરચી પોળનું ચવાણું , દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા , જુના શેર-બજારનું ચવાણું , ઝવેરીવાડના ચોકલેટ પિઝા , સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ , સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ , હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ , પાંચ કૂવાની ફૂલવડી , લક્ષ્મી બેકરીની પેટિસ , શ્રી રામના ખમણ , ઓનેસ્ટના ભાજી-પાંવ , મોતી બેકરીની નાનખટાઇ , ચંદ્ર વિલાસના ફાફડા જલેબી , સૌરાષ્ટ્રના ફાફડા , ઋતુરાજના મસ્કાબન-ચા , ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા , સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી , ઢબગરવાડની કચોરી , અલંકારના સમોસા , મિરઝાપુરમાં ફેમસના કબાબ , રાયપુરના શ્રી રામના ખમણ , એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ , બહેમરામપુરાના વિજયના દાલવડા , ખોખરા ચાર રસ્તાની ઇડલી , નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા , હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ , બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા) , લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા , લકીની બાજુમાં શશીનુ ચવાણું , વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા , ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા , જનતાનો કોકો , ઝવેરીવાડની દાળિયાની ચટણી , બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા , રામ વિજયના ફાફડા-જલેબી , ભૂતની આંબલીના ફાંફડા , ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા , એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ , ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ , રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ , અંકુરના આણંદ દાલવડા , ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા , મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે
રાજકોટ:
મયૂર ભજિયા , મનહરના સમોસા-ભજિયા , ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા , જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા , રામ ઔર શ્યામના ગોલા , સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી , ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ , કરણપરાના બ્રેડ કટકા , એરપોર્ટ ફાટક પાસેના ઢોસા , જોકરના ગાંઠિયા , સુર્યકાંતના થેપલા-ચા , જય સિયારામના પેંડા , રસિકભાઈનો ચેવડો , જલારામની ચિકી , ગોરધનભાઈનો ચેવડો , આઝાદના ગોલા , બાલાજીની સેન્ડવીચ , અનામના ઘુઘરા , ઇશ્વરના ઘુઘરા , રાજુના ભાજી પાંવ , મગનલાલનો આઇસ્ક્રીમ , સોનાલીના ભાજી પાંવ , સાધનાની ભેળ , નઝમીનું સરબત , રાજમંદિરની લસ્સી , ભગતના પેંડા , શ્રી રામની ચટણી , ?ીલપરાનું અમદાવાદી ખમણ , પટેલના ભાજી પાંવ , સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ , રઘુવંશીના વડાપાંવ , બજરંગની સોડા , ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા , કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા , નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા , કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા , સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ , મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા
વડોદરા :
દુલીરામના પેંડા , મહાકાળીનું સેવઉસલ , પારસનું પાન , ભાઇભાઇની દાબૅલી , શ્રીજીના વડાપાંવ , એમજી રોડ પર લાલાકાકાના ભજિયા , મંગળબજારમાં પ્યારેલાલની કચોરી , ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ , રાજમહેલ રોડ પર રાજુના ખમણ , અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ , કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા , જગદિશનો ચેવડો , ટેસ્ટીના વડાપાંવ , ફતેહરાજના પૌવા , વિનાયકનો પુલાવ , લાલાકાકાના ભજિયા , નાળિયેર પાણીની સિંગ , ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા
સુરત :
રમેશનો સાલમપાક , કિશોરનો આઇસ્ક્રીમ , જાનીનો લોચો , લાલ દરવાજાનો ગોપાલનો લોચો , ગાંડાકાકાના ફાફડા , વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ , અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ , ચોપાટી પાસે મહેશનો પુલાવ , વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી , અંબાજી રોડ પર સુરતીના ખમણ , લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ , ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ , ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા , લી??ડા ચોકમાં ચેવલીના ભજિયા , ઝાંપાબજાર પાસે આદર્શની ચા , દાળિયા શેરીની નરેશની ભેળ , બેગમપુરામાં મઢીની ખમણી , સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા , મોટા વરાછામાં કુંભણિયા ભજિયા , ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે , ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી , ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો , વરાછા રોડ પરના મયૂરના ભજિયા
ગાંધીનગર :
મયુરના ભજિયા , ગાંઠીયારથના ગાંઠિયા , મહાલક્ષ્‍મીના ખમણ , મહારાજના દાળવડા , ભાભીના
ભજિયા , બટુકના ગોટા , મોરલીના ઢોંસા , પુજાના ઢોકળા , સેંધાના ગોટા , અક્ષરધામની ખીચડી , લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ , વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી

અમરેલી :
ચક્કાભાઈની ચા , જયહિન્દના ગોટા , ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી , હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા , ભગતનું ઉંધીયુ , મહારાજના ભાજીપાંવ , શિતલનુ કોલ્ડપાન
ભૂજ :
બાસૂદી ગોળા , રજવાડી ગોળા , આઇસ્ક્રીમ ગોળા , વાણિયાવાડ ખાવડાના સાટા , પકવાન અને ગુલાબપાક , ગોવિંદજીના પેંડા , મધુની ભેળ , ધીરૂભાઈની રોટી , શંકરના વડાપાંવ
સુરેન્દ્રનગર:
ભાભીના ભજીયા , રાજેશના સમોસા , જગદંબના પરોઠા , ઉકાનું પૂરી-શાક , સિકંદરની સિંગ , જલારામના વાળા-પાંવ , નોવેલ્ટીના પરોઠા -શાક , પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ , ચેતનાની દાબેલી , દાળમિલમાં સાગરની ખસતા કચોરી , એસ્ટ્રોનનું પાન , કિસ્મતની સોડા , સૂર્યાના ભાજી પાંવ , ગોકુલનું સીઝલર , ગોપાલના મસાલા પાંવ
જામનગર :
એચ.જે.વ્યાસનો શીખંડ , વલ્લભભાઈના પેંડા , જનતા ફાટકના વણેલા ગાંઠિયા , જગદિશનો ફાલુદો , ગીતાનો આઇસ્ક્રિમ , જવાહરના પાન , દિલિપના ઘુઘરા , ઉમિયાના ભજિયા , લખુભાઈનો રગડો , ગીજુભાઈની ભેળપૂરી , ડાયફ્રુટની કચોરી
મહેસાણા:
સહયોગના પેંડા , મુરલીના વડા પાંવ , પટેલની ખમણી , સ્ટેશનની ચા , રામપુરા ચોકડીની દાબેલી , ક્રિષ્નાની દાબેલી
બારડોલી :
જલારામના પાંતરા , જલારામના ખમણ , જલારામની ખીચડી , મહારાણાના દાણા-ચણા , ભરકાદેવીનું આઈસ્ક્રીમ , જેઠાની પાંવભાજી
જેતપુર :
વજુગીરી ના ભજીયા , દિપકની દાબેલી , નાથબાપાના લસણિયા સેવ મમરા , ભગતના પેંડા
ભાવનગર :
ભગવતીનું સેવ-ઉસળ
આણંદ :
રેલવે સ્ટેશનની દાબેલી , પાંડુના દાલ વડા , યોગેશના ખમણ , સાસુજીનો હાંડવો
દાહોદ :
બાદશાહ કૂલ્ફી
ગોધરાઃ
પેટ્રોલ પંપના ભજિયા , ગાયત્રીની લસ્સી , શંકરની ભાજી-પાવ , ગોપાલનો ગોટો
બોટાદ :
જેરામભાઈનો ચેવડો
મોરબી‍‍ :
પકાના ભૂંગરા બટાટા , કાનાની દાબેલી , ભારતની પાણી પુરી , મયુરના ભજિયા , ચક્કાના બ્રેડ બટાટા , જૈનના ખમણ
નવસારી:
વિકાસના સમોસા , મામાની પેટીસ
ધારી:
કનૈયા ડેરીનો શીખંડ
મહુવા:
વરિયાળીનું સરબત
નડિયાદ:
સિંધી બજારનું ગળિયું ચવાણું , વસોગામના પત્તરવેલિયા

” ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે ? ”
અમદવાદના મસ્કાબન , કટિંગ ચા , મકરસંક્રાતિ
સુરતનું જમણ , ઘારી , સુરતણફેણી , ખમણ ઢોકળા , ઉઘીયું અને લોચો
રાજકોટની ચીકી , પેંડા , બ્રેડ કટકા અને રંગીલી પ્રજા
વડોદરાનો લીલો ચેવડો , ભાખરવડી અને નવરાત્રિ
જામનગરની બાંધણી , કચોરી , તાળા , આંજણ અને પાન
કચ્છની દાબેલી , ગુલાબપાક , કળા કાળિગીરી અને ખુમારી
મોરબીના તળીયા (ટાઇલ્સ) , નળિયા અને ઘડીયાલ
ભરુચની ખારી શિંગ
સુરેન્દ્રનગરના સેવમમરા , કચીરીયું અને શીંગ
ભાવનગરના ગાંડા , ગટર , ગાંઠિયા અને ફૂલવડી
પાલનપુરનું અત્તર , પેંડા , ખાખરા અને હીરાના વેપારી
સોરઠનો સાવજ , કેસર કેરી અ??ે અડીખમ ગિરનાર
પાટણની રેવડી , દેવડા અને પટોળા
પોરબંદરની ખાજલી , ગોટી સોડા અને માફિયા
નવસારીની નાનખટાઇ
ખંભાતનું હલવાસન
ડાંગનો ચોખ્ખાનો રોટલો , નાગલી , વાંસનું શાક અને ડાંગ દરબાર
વલસાડના ચીકુ અને હાફૂસ
ડાકોરના ગોટા અને સકરિયા અને મલાઇ મારેલું દૂધ
પંચમહાલની તાડી અને મહુડો

સૂર્ય દેવતાના બાર નામો:- 

1] પર્જન્ય    2] ત્વષ્ટા    3] અર્યમા    4] ઈન્દ્ર    5] અંશ    6] વિષ્ણુ    7] મિત્ર    8] વિસ્વાન 9] ભગ     10] ધાતા    11] વરુણ    12] પૂખા
બાર રાશિઓના નામ:-
1] મેષ    2] વૃષભ    3] મિથુન    4] કર્ક    5] સિંહ    6] કન્યા     7] વૃશ્ચિક    8] તુલા    9] ધન 10] મકર    11] કુંભ    12] મીન

બાર મહિનાનું એક વર્ષ:-

1] કારતક    2] માગશર    3] પોષ     4] મહા    5] ફાગણ    6] ચૈત્ર    7] વૈશાખ    8] જેઠ     9] અષાઢ     10] શ્રાવણ    11] ભાદરવો     12] આસો
શ્રી ગણેશજીના બાર નામ:-
1] સુમુખ    2] એકદંત    3] કપિલ    4] ગજકર્ણક    5] લંબોદર    6] વિકટો    7] વિઘ્નનાશો    8] વિનાયક    9] ધુમ્રકેતુ    11] ભાલચન્દ્ર    12] ગજાનન
શિવજીના બાર જ્યોતિર્લિંગ:-

1] સોમનાથ    2] મલ્લિકાર્જુન    3] મહાકાલેશ્વર    4] વિશ્વેશ્વર    5] ભીમાશંકર    6] રામેશ્વર 7] નાગેશ્વર    8] વૈદ્યનાથ    9] ત્ર્યંબકેશ્વર    10] ધુશ્મેશ્વર     11] કેદારેશ્વર     12] ૐકારેશ્વર
મેઘના બાર નામ:-
1] સુબુદ્ધિ    2] પૃથુશ્રવા    3] વિકર્તન    4] જલેન્દ્ર    5] નંદશાલી     6] વાસુકિ    7] સર્વદ     8] વજ્રદંષ્ટા    9] કન્યદ    10] તક્ષક    11] હેમશાલી    12] વિષપ્રદ
વાદળના બાર નામ:-
1] તંતુમેઘ    2] મધ્યરાશિમેઘ    3] સ્તરરાશિ    4] તંતુ રાશિ મેઘ    5] મધ્યસ્તરીય              6] સ્તર મેઘ    7] તંતુસ્તર મેઘ    8] વર્ષાસ્તરીય મેઘ    9] રાશિ મેઘ    10] ગર્જન્મેઘ       11] ધુર્ણાવાતિ    12] ચંદમેઘ
તુલસીના બાર નામ:-
1] તુળસ    2] તુલસીકા    3] તુલાશા    4] સુરસા    5] ગ્રામ્યા    6] સુલભા    7] સુભગા          8] તીવ્રા    9] યાવની    10] વિષ્ણુવલ્લભા     11] અમૃતા     12] કૃષ્ણા



આ વિચારોનો મેળો એટલે આપણી મહાન વ્યક્તિઓ દ્વારા અપાયેલા સુવિચારો
આજનો સુવિચાર:-
જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો સદુપયોગ નથી કરી શકતા, નમ્રતાનો અર્થ અહમભાવનો અત્યંત ક્ષય.
– ગાંધીજી

આજનો સુવિચાર:-
જેવી રીતે ખેતરનું રક્ષણ કરવા માટે વાડ ઊભી કરવામાં આવે છે તે જ પ્રમાણે નિજભાવ માટે નિયમ રૂપી વાડ કરી લેવી જરૂરી છે.
- પ્રણવાનંદજી

આજનો સુવિચાર:-
તપ દ્વારા આપણામાં રહેલી દુર્બળતાનું શક્તિમાં તથા અજ્ઞાનનું જ્ઞાનમાં રૂપાંતર થાય છે.
ડૉ. રાધાકૃષ્ણન

આજનો સુવિચાર:-
અનેક શાસ્ત્રો જાણકારા, બીજાઓની શંકાઓનું સમાધાન કરનારા બહુશ્રુત પંડિતો પણ ઘણી વખત લોભને વશ થઈ સંસારમાં દુઃખ પામે છે.
– મહાભારત

આજનો સુવિચાર:-
આવેશ અને ક્રોધને વશમાં કરી લેવાથી શક્તિમાં વધારો થાય છે. આવેશને આત્મબળના રૂપમાં જ પરિવર્તિત કરી શકાય છે.
– ગાંધીજી

આજનો સુવિચાર:-
લગ્ન હોય ત્યાં મર્યાદા હોય, મર્યાદા હોય ત્યાં સદાચાર, શિષ્ટતા તેમ જ નીતિ હોય છે અને નીતિ હોય ત્યાં ધર્મની પ્રાપ્તિ હોઈ શકે.
મુક્તિપ્રભાજી

આજનો સુવિચાર:-
સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞાની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે.
- જવાહરલાલ નહેરુ

આજનો સુવિચાર:-
પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે. આજનો સુવિચાર:- ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે.
..સ્વામી પ્રણવાનંદજી

આજનો સુવિચાર:-
માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે
શ્રી ગીતાજી 6 , 5-6

આજનો સુવિચાર:-
તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી.
– જ્યોતિન્દ્ર દવે

આજનો સુવિચાર:-
સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે.
—ગાંધીજી

આજનો સુવિચાર-
ન હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

આજનો સુવિચાર:-
અહિંસા સત્યની શોધનો આધાર છે.
- ગાંધીજી

આજનો સુવિચાર:-
નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે.
- મોરારી બાપુ

આજનો સુવિચાર:-
કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે.
– દત્તકૃષ્ણાનંદ

આજનો સુવિચાર:-
મૌનમાં નિષ્ક્રિયતા નથી, પૂર્ણતા છે. મૌનમાં નિવૃતિ નથી, જાગૃતિ છે.
-ધૂમકેતુ

આજનો સુવિચાર:-
મન કાળની જાળમાંથી મુક્ત થાય ત્યારે જ ઈશ્વરનો આવિર્ભાવ થાય
- ટોલ્સ્ટૉય

આજનો સુવિચાર:-
જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે.
-આલ્બર્ટ આઈંસ્ટાઈન

આજનો સુવિચાર:-
શીખવા જેવી એક કળા છે અને તે છે ‘જે નથી તે નહિ જોવાની’ કળા.
- મારીયા મિશેલ

આજનો સુવિચાર:-
હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે.

આજનો સુવિચાર:-
પહેલાં કદાપિ થયું નથી અને ફરીથી ક્યારે થવાનું નથી એવાં શુભ કાર્ય કરવાને માટેની પોતાની તક ન લાવે એવો કોઈ દિવસ ક્યારે ઊગ્યો નથી.
- ડબલ્યુ.એચ.બર્લીહ

આજનો સુવિચાર:-
‘સત્ય’ અને ‘ઈશ્વર’ જો ભિન્ન હોય તો હું માત્ર ‘સત્ય’ને વળગી રહું.
ગાંધીજી

: આજનો સુવિચાર -
જેણે પોતાના મનને જીત્યું નથી તે પોતે પોતાના પ્રત્યે શત્રુની જેમ વર્તે છે.
-ગીતાજી [6 અધ્યાય- 6 શ્લોક]

આજનો સુવિચાર:-
તું બધાં જ કર્મોનો ત્યાગ કરીને મારે શરણે આવ, કર્મોનો ત્યાગ કરવાથી પાપ થશે. તેની ચિંતા છોડ. હું તને બધાં જ પાપોમાંથી મુક્ત કરીશ.
- શ્રીમદ ભગવતગીતા

આજનો સુવિચાર:-
અવલોકનદૃષ્ટિ ગરૂડ જેવી બનાવો જે વિશ્વપદાર્થોનાં ઉપરછલ્લાં સ્વરૂપોને,ભીતરનાં ભંડારને બહાર લાવી શકે છે. એના ખરા સ્વરૂપને અનાવૃત્ત કરી શકે છે.
– ગાંધીજી

આજનો સુવિચાર:-
બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
–ચાણક્ય

આજનો સુવિચાર:-.
દરેક મનુષ્યમાં ખામી હોય છે. જો કોઈ ખામી વિનાનો મિત્ર શોધવા જાય તો તે મિત્ર વિનાનો રહે. આપણે જેમ ખામીથી ભરેલા છીએ છતાં આપણી જાતને ચાહીએ છીએ તેમ આપણા મિત્રોને પણ પ્રેમ કરવો જોઈએ.
- સાયરસ

આજનો સુવિચાર:-
પ્રસાદ એટલે શું ?
પ્ર -એટલે પ્રભુ
સા -એટલે સાક્ષાત
દ -એટલે દર્શન
માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ

આજનો સુવિચાર:-
યુવાનીનો બધો સમય ઘડતરનો, વિકાસનો અને સભાનતાનો છે. એમાંનો એક કલાક પણ એવો નથી જે નિયમિત ધબકતો ન હોય, એમાંની એક પળ પણ જો વીતી ગઈ તો નિશ્ચિત થયેલું કામ ક્યારે થઈ શકતું નથી. — રસ્કિન

આજનો સુવિચાર:-
સંયમ અને પરિશ્રમ માનવીના બે વૈદ્ય છે.
- રૂસો

આજનો સુવિચાર:-
આપણે જુદા જુદા લોકોને મળી તેમનો અભ્યાસ કરીએ તે એક પ્રકારનું શિક્ષણ છે જેને કારણે આપણી નિરીક્ષણ શક્તિ વધે છે અને સમજણશક્તિ સુધારી શકીએ છીએ.
—- સ્વામી સચ્ચિદાનંદ

આજનો સુવિચાર:-
ઓ ઈશ્વર ! મને હાજરજવાબી જીભ આપવાને બદલે મને હાજરજવાબી હાથ આપો.

આજનો સુવિચાર:-
જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી.
- મહાદેવી વર્મા

આજનો સુવિચાર:-
તાપને તપમાં બદલી શકે તે જ્ઞાની.
- ગાંધીજી

આજનો સુવિચાર:-
એક સપનું પડી ભાંગે અને હજારો ટૂકડામાં વેરાઈ જાય તો એ ટૂકડાઓને વીણી ફરીથી પ્રારંભ કરવાનો ડર કદી રાખો નહીં., – રૂલેવી આબીડન

આજનો સુવિચાર :-
હૃદય પાસે એવા કારણો હોય છે કે જે બુદ્ધિ સમજતી નથી.
–બેસંટ

આજનો સુવિચાર :-
હકનો ભાવ છોડો.
-મુનિ તરુણસાગરજી

આજનો સુવિચાર :-
ભગવાન કસોટી કરે ત્યારે હિંમત ટકાવી રાખે તે જ સાચો વિશ્વાસુ ભક્ત.
– હરીભાઈ કોઠારી

આજનો સુવિચાર :-
તણખલુ ઊડીને આંખમાં પડે તો ડુંગર પણ ઢંકાઈ જાય. તણખલું એક પછી એક સુગરીની ચાંચમાં ચઢે તો કળાત્મક માળો રચાઈ જાય. જીવન તણખલું બનીને ઊડે તો એ ખુદ પરમાત્મા બની જાય.

આજનો સુવિચાર :-
આપણે જ્યારે સાંભળવા જેટલા સ્થિર- શાંત હોઈએ છીએ ત્યારે જ ભગવાન બોલે છે.
- તથાગત બુદ્ધ

આજનો સુવિચાર :-
કોઈ તરફ આંગળી ચીંધતા પહેલા વિચારજો બાકીની ત્રણ આંગળી તમારી તરફ ચીંધાય છે.
- પૂ. પાંડુરંગ શાસ્ત્રી

આજનો સુવિચાર:-
હિંમત એ નથી કે જ્યારે તમારી પાસે આગળ જવા શક્તિ હોય પણ એ છે કે જ્યારે તમારી પાસે શક્તિ ન હોય ને આગળ વધો તે છે.
- નેપોલીયન બોનાપાટ

આજનો સુવિચાર:-
કામનો યશ કોને મળશે એ જોય વિના કામ કરવું એ કામ પતાવવાની અને યશસ્વી થવાની સારામાં સારી રીત છે.
બેંજામિન જોવટ

આજનો સુવિચાર:-
મને ભવિષ્યમાં રસ છે કારણ કે મારી બાકીની જિંદગી હું ત્યાં જીવવાનો છું.
- ચાર્લ્સ કેટરીંગ

આજનો સુવિચાર:-
આપણે સમજીએ કે આપને ભોગ આપીએ છીએ, પણ ખરેખર તો ભોગ આપણને ભોગવતા હોય છે.
- ભર્તૃહરિ

આજનો સુવિચાર:-
મન એક સારું દર્પણ છે એના પર ધૂળ ન લાગે તેને માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. આપની પાસે પૂરી માહિતી ન હોય ત્યાં સુધી મનને શાંત રાખવું અને ઉતાવળે નિર્ણય ન લેવો.
વેદ

આજનો સુવિચાર:-
આભ ગમે તેટલું ઊંચું હોય, નદી ગમે તેટલી પહોળી હોય
પર્વત ગમે તેટલો વિરાટ હોય, પવન ગમે તેટલા સુસવાટા મારતો હોય
પણ એક વાત ધ્યાનમાં રાખો, આપણે આ બધા સાથે શું લેવા દેવા??

આજનો સુવિચાર:-
માણસની અંદર જે જે શક્તિ, જ્ઞાન અને પ્રેમરૂપે છે તે માત્ર અર્થ અને કામ એ બે પુરુષાર્થથી ખીલતી નથી, ધર્મથી ખીલે છે.
– વિશ્વામિત્ર

આજનો સુવિચાર:-
શ્રવણ અને મનનની ટેવ પાડો. આપણે કોણ છીએ? શું છીએ? ક્યાં છીએ? આ વિશ્વ ક્યાં છે? વિચારો. વાસ્તવમાં તમે ઈશ્વરથી જુદા નથી.
- સાંઈબાબા

આજનો સુવિચાર:-
સમાજમાં સજ્જન અને દુર્જન સાથે જ રહેતા હોય છે. જો દુર્જન પોતાનો સ્વભાવ છોડી શકતા ન હોય તો સજ્જને પોતાનો સ્વભાવ શા માટે છોડી દેવો જોઈએ?
- શંકરાચાર્ય

આજનો સુવિચાર:-
મિત્રતા એ એક નાજુક જવાબદારી છે.
– રત્નસુંદરવિજયજી

આજનો સુવિચાર:-
આપણી સંસ્કૃતિમાં માનું સૌથી ઊંચું સ્થાન હોવાને કારણે જ આપણી સંસ્કૃતિ આટલી ઊંચાઈએ પહોંચી છે.
- પાંડુરંગ શાસ્ત્રી

આજનો સુવિચાર:-
પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે.
સોરેન કિર્કગાર્ડ

આજનો સુવિચાર:-
રોગનો મિત્ર વૈદ્ય, રાજાનો મિત્ર મીઠાં વચન બોલનારો, સંસારથી પીડિત માનસનો મિત્ર સંત તેમજ લક્ષ્મી ખોઈ બેઠેલાનો મિત્ર જોષી છે.
- કવિ નિકોલસ

આજનો સુવિચાર:-
યૌવન ચાલ્યું જાય છે, પ્રેમ ઓસરી જાય છે, મિત્રતા ખરી પડે છે પરંતુ માતાનો પ્રેમ સદાય વધતો જાય છે એ જગતમાં શાશ્વત હકીકત છે.
- પાંડુરંગ શાસ્ત્રી

આજનો સુવિચાર:-
અંધારામાં રસ્તો બનાવવો મુશ્કિલ છે.
તોફાનમાં દીવો પ્રગટાવવો મુશ્કિલ છે
કોઈની સાથે દોસ્તી કરવી મુશ્કિલ નથી
પરંતુ દોસ્તીને ટકાવવી મુશ્કિલ છે.

આજનો સુવિચાર:-
કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે.
- પાંડુરંગ શાસ્ત્રી

આજનો સુવિચાર:-
ત્રણ વાતનું હંમેશા ધ્યાન રાખો.
[1] કામ વગર બેસી ન રહો
[2] ખોટું કામ ન કરો
[3] કેવળ પોતાના સ્વાર્થ માટે કામ ન કરો.

ટિપ્પણીઓ નથી:

backgraund]